સંજોગ
માણસ પરિસ્થિતિ મુજબ જીવે છે અને નિર્ણય લે છે. ક્યારેક માણસ નાહવાની ડોલમાં તરફડીયા મારતી કીડીને પણ બચાવે છે અને ક્યારેક માણસ માઉન્ટ ઍવરેસ્ટ પર બીજા માણસને મરતો છોડી આવે છે. આ વાત કદાચ બસો વર્ષ પહેલાં ચાલ્સ ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદથી સમજાવી હતી. એમાં એક મુદ્દો હતો 'અસ્તિત્વ માટે જીવનસંઘર્ષ' બસ પોતાના અસ્તિત્વ માટે એક માણસ બીજા માણસ સાથે સંઘર્ષમાં ઉતરે છે...હકીકત સમજીએ તો માણસ હજુ પણ ડોલમાંથી કીડી બચાવતું નિર્દોષ સામાજિક પ્રાણી જ છે બસ એના સંજોગ નિર્ણય બદલાવે છે...
- નિશાંક મોદી
No comments:
Post a Comment