ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ
ઉપર રજૂ કરેલી કહેવત વર્ષો જૂની છે અને જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ તો આના ઉપર અર્થવિસ્તાર ચોક્કસથી લખ્યો હશે. કદાચ નિશાળમાં આના પર અર્થવિસ્તાર લખવું અઘરું હતું અને સમજવું તો એનાથી પણ વધુ મુશ્કેલ. પાંચ ગુણમાં પુછાતા આવા ઘણા અર્થવિસ્તાર ગુજરાતીની પરીક્ષામાં આપણે છોડી દીધા હશે અથવા તો એનો બદલામાં અપાતો વિકલ્પ પસંદ કર્યો હશે.
હવે આજે વિચારીએ તો આના જેવા ઘણા અર્થવિસ્તાર જીવનની પરીક્ષામાં કામમાં લાગે એવા છે. જયારે વાંચીએ ત્યારે એમ થાય આપણે આ વાક્યોને પરીક્ષા પૂરતા જ સીમિત રાખ્યા હતા હકીકતમાં આ આખા જીવનમાં ખૂબ ઉપયોગી હતા. આનો અર્થ ટૂંકમાં સમજીએ તો ગુમાવેલી સંપત્તિ પાછી મળી શકે છે, દૂર સુધી ગયેલા વહાણ પાછા ફરી શકે છે, બસ ગુમાવેલો સમય પાછો મળતો નથી અને ગુમાવેલો જીવ પણ પાછો મળતો નથી.
બીજા અર્થમાં કહીએ તો સંપત્તિ ગુમાવવાનું દુઃખ ન કરવું, વધુ પરિશ્રમ અને સારા વિચારો સાથે માલ મિલ્કત ફરી કમાવી શકાશે. કઈક વસ્તુ ગુમાવી હોય તો પાછા મળવાની શકયતા છે એટલે આશા ન છોડવી. બસ જે શક્ય નથી પાછું આવવાનુ એટલે કે સમય એનો અફસોસ મનાવવાની જરૂર નથી અને ગુમાવેલા સ્વજનો જેણે જીવ છોડી દીધો છે એમને યાદમાં રાખી બાકીનું જીવન આગળ વધારવાનું છે.
✍️નિશાંક મોદી
No comments:
Post a Comment