એક ભાઈ કોઈ પણ સારું કામ કરવા બહાર જાય તો પોતાના ઘરના મંદિર પાસે દીવો કરીને જતા. કોઈક જણ ગળામાં લોકેટ પહેરે છે તો કોઈક જણ હાથમાં નાડાછડી બાંધે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. આ સૂચિત કરે છે કે તમને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે. મનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે એમ કે મારી સાથે ઈશ્વર છે. ઈશ્વર કોઈ પણ સારું કામ કરીએ તો આપણી સાથે જ હોય છે. માણસ ખોટું કામ કરે ત્યારે જ ઈશ્વરથી ડરે છે. ભક્તિ, શ્રદ્ધાની વાતો જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવામાં મદદ કરે છે. ઈશ્વર, અલ્લાહ, જીસસ માં માનવું કોઈ પણ રીતે ખોટું નથી. આ બધા લોકો કુદરતને જુદી જુદી રીતે જોવે છે. પણ તેમનો મર્મ એક જ હોય છે કે તે છે તેમની શ્રદ્ધા. દરેક માણસ સીધી કે આડકતરી રીતે કુદરત ને માને છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં કાયમ નાસ્તિક કે આસ્તિક નથી રહેતો. ક્યારેક ક્ષણ માટે પણ તેનો ઈશ્વર તરફ નો અભિગમ ડગે છે. અણધાર્યું કામ થઇ જાય તો ઘડીક વાર માટે વિચારે કે, હા ઈશ્વર છે. અને કયારેક ધાર્યું કામ ના થાય તો વિચારે કે શું ઈશ્વર છે?
ખોટી દિશામાં ગયેલી શ્રદ્ધા માણસ નું મગજ ખરાબ કરી દે છે. દરરોજ મંદિર જતો વ્યક્તિ એકાદ દિવસ મંદિર ન જાય અને એજ દિવસે કઈ અજુગતું બને તો એ વિચારે છે. આજે હું મંદિર ન ગયો એટલે જ મારી સાથે આવું બન્યું. કઈક એવી વસ્તુ છે જે હર હમેશ પણ કયારેક ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા ને અંધશ્રદ્ધામાં ફેરવી દે છે. જેમ જીવનમાં હકારાત્મક અને નકારાત્મક વિચારો માણસને એક સાચી કે ખોટી દિશામાં લઇ જઈ શકે છે તે જ વસ્તુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પણ બને છે. સાચી શ્રદ્ધા જીવનને તારે છે ને અંધશ્રદ્ધા જીવન ડુબાડે છે. થોડાક દિવસ પહેલા ટીવી પર જોયું હતું કે એક વ્યક્તિ એ પોતાની જીભ કાપીને ઈશ્વરના ચરણોમાં રાખી દીધી. હવે આજના ભણેલા ગણેલા વ્યક્તિ આ વાત સાંભળે તો એવું જ બોલે છે, લોકો પણ ખરા છે, આતો કેવી અંધશ્રદ્ધા. આવા અંધશ્રદ્ધા થી લીધેલા નિર્ણયો જીવન નામની સુંદર નાવને ડુબાડે છે. અંધશ્રદ્ધા જીવનમાં દુઃખ અને માત્ર દુઃખ જ લાવે છે. જયારે શ્રદ્ધા જીવનમાં સુખ લાવે છે. આજ શ્રદ્ધાને અંધશ્રદ્ધા જીવનમાં પોતાનામાં રહેલો વિશ્વાસ અને બીજા પર રહેલો અવિશ્વાસ દેખાડે છે.
જયારે કોઈ વ્યક્તિ જ્યોતિષીની બતાવવા જાય છે. ત્યારે જ્યોતિષી કહે કે તમે આ નંગ પહેરો તમને ફાયદો થશે. હકીકતમાં એ નંગ કામ નથી કરતો પણ આપણો એક વિશ્વાસ કામ કરે છે કે આ નંગથી મને ફાયદો થશે. અને બસ હકારાત્મક શક્તિ વાતાવરણમાં રહેલી હકારાત્મક શક્તિને આકર્ષે છે. એક બીજું અંધશ્રદ્ધાનું ઉદાહરણ છે ભૂત, પ્રેત ને દોરા ધાગાનું. આપણે જોયું છે કે, કોઈક ધુણે છે. તો કોઈક કહે છે આનામાં ભૂત રહેલું છે. ખરેખર ભૂત તો આવું બધું માનનારા માણસના મગજમાં ભરેલું છે. ખરેખર ભૂત, પલીતમાં માનનારાને ઈશ્વરમાં થોડો ઓછો વિશ્વાસ છે એવું સૂચવે છે. કારણ કે જે વ્યક્તિ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેને ભૂત-ખરાબ આત્માથી બચવાની કે દોરાધાગાની જરૂર નથી પડતી. ખરેખર ઈશ્વર, અલ્લાહ, જીસસ એ કુદરતની અનુભૂતિ કરાવે છે. જયારે ભૂત-પલીતમાં માનનારા લોકો માણસની અજ્ઞાનતા દર્શાવે છે.
“અરે તું ભણેલો કેમ ભૂતપ્રેતથી આટલો ડરે છે,
ગભરાઇશ નહિ દોસ્ત ઈશ્વર તારી સાથે ફરે છે.”
- નિશાંક મોદી
No comments:
Post a Comment