માણવા જેવું નહીં માનવા જેવું સત્ય:😢
ભારત દેશના લોકો જ્યારે વિદેશમાં કોઈનો શિકાર બને છે ત્યારે આપણે વિદેશના લોકોનું ખોદીએ છીએ. કદાચ કેટલાક વિદેશી લોકો ખરાબ હોય પણ ખરા એની ના નહીં પણ કદી એ વિચાર્યું કે આપણે આપણા જ જુદા જુદા રાજ્યોના લોકોને સ્વીકારી નથી શકતા. યુપીવાળા ને મરાઠી આવડવું જોઈએ, નેતા આજ સમાજનો હોવો જોઈએ, કોઈ મારી જ્ઞાતિ વિશે આવું કઈ રીતે કહી જાય...
સાહેબ જો આપણે એક જ દેશના બીજા રાજ્ય અને સમાજમાંથી આવતા લોકોને સ્વીકારી શકતા નથી તો વિદેશી લોકો તરફથી આશા રાખવી એ આપણો જ ગુનો કહેવાય...
અંતિમ સ્પર્શ:
બદલાય તું પહેલાં ને જો પછી તારો દેશ બદલાશે,
જગાડ માણસાઈ અહીં જો પછી પરદેશ બદલાશે...
- નિશાંક મોદી
No comments:
Post a Comment