રામશબરી
એક દિવસ પ્રભુ શ્રી રામજી એ સીતાજીને કહ્યું, 'ચાલ હું તને એક વ્યક્તિને મળાવું જેણે મારી વર્ષો સુધી રાહ જોઈ છે' ત્યારબાદ એ લોકો શબરીને મળ્યા અને બોર ખાધા. શબરીએ રામસીતા ને વિદાય આપી. પાછા વળતી વખતે સીતાજીએ રામજીને પ્રશ્ન કર્યો, 'પ્રભુ, તમને નથી લાગતું તમે શબરી જોડે અન્યાય કર્યો હોય?', પ્રભુ એ પ્રતિ પ્રશ્ન કર્યો, 'કેમ?' સીતાજીએ કહ્યું, 'જે વ્યક્તિએ તમારી આટલા વર્ષો સુધી રાહ જોઈ એને તમે આટલા મોડા મળ્યા જ્યારે તેમનું આયુષ્ય થોડા વર્ષ જ છે'
પ્રભુ શ્રી રામે ઉત્તર આપ્યો, 'હું ધારત તો શબરીને તેની ભક્તિના પહેલા દિવસે જ મળી જાત. પણ મેં એની આખું જીવન પરીક્ષા કરી અને એના જેટલા પણ જનમ હતા એનું દુઃખ એક જ આ જનમ આપી દીધું છે અને તેમ છતાંય એની ભક્તિ ઓછી ના થઇ અને અંતે હું હારી ગયો, છેવટે આ જન્મ પછી એને મોક્ષ મળી જશે. અને તને ખબર નહીં હોય એ તો આ જીવન મરણની જંજાળમાંથી છૂટી જશે પણ હું પોતે ઈશ્વર હોવા છતાંય આ જન્મ મરણની જંજાળમાંથી નહીં છૂટી શકું અને મારે અનેક જન્મ લેવા પડશે અને દરેક જન્મમાં દુઃખ સહન કરવું પડશે. અને ખાલી શબરીએ રાહ નથી જોઈ, મેં પણ જોઈ છે અને એ પણ ડર સાથે કે કદાચ એની શ્રદ્ધા ડગી ના જાય. અને મેં તને પહેલા કહ્યુંને એમાં થોડો બદલાવ કરું છું, 'ચાલ હું તને એક વ્યક્તિને મળાવું જેની મેં વર્ષો સુધી રાહ જોઈ છે'
અંતિમ સ્પર્શ:
ભક્તિમાં તાકાત હતી જો એનો ઉદ્ધાર થઈ ગયો,
હતો ઈશ્વર હું તોય જન્મમરણના દ્વાર રહી ગયો.
- નિશાંક મોદી
No comments:
Post a Comment