Gandhi- A hero of INDIA
મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ જે ભારતના બે ભાગલા પાડી શકે. ક્યારેક કોઈ ચર્ચામાં ગાંધીજીના વખાણ કરજો એટલે ખ્યાલ આવી જશે કે એમની વિરુદ્ધ જનારા આજે પણ મળશે. તોડી નાખું ફોડી નાખું દેશ માટે બીજાનું નુકશાન કરી નાખું એવા લોકો જ એમની વિરુદ્ધ માં હોય બાકી જેને જીવનમાં શાંતિ જોઈતી હોય એ જ ગાંધીજીને સમજી શકે. એ મહાત્માથી પણ અન્યાય સહન નતો થયો પણ એમની વિરોધ કરવાની રીત જુદી હતી. એમની પાસેના બે હથિયાર એમને જીતાડતાં અને એ હથિયાર કઈ લાકડી કે બંદુક ન હતા એ તો હતા સત્ય ને અહિંસા. અન્યાય સામે ઝૂકવું નહિ અને સત્ય નો સાથ આપવો પણ હિંસાત્મક કાર્ય કરીને નહિ પરતું લડ્યા વગર. ઘણા સ્વત્રંતસેનાનીઓં ના જીવન લુપ્ત થયા આઝાદી માટે કારણ કે તેમની લડવાની પદ્ધતિ ખોટી હતી. અને આ વાત ગાંધીજીને ખબર હતી કે ઘરમાં કોઈ એક માણસ ગુજરી જાય તો થોડા સમય માટે આખું ઘર ગુજરી જાય અને એટલે જ ક્યારેય એમને હિંસાનો પ્રયોગ નતો કર્યો. હા પણ આઝાદી મેળવવાનો પ્રયાસ સતત ચાલ્યું જ રાખ્યો તો અને એ પણ સત્યને સાથ છોડયા વગર.
એ મહાન આત્મા હવે થોડાક લોકોના દિમાગમાં જ રહે છે. એક કિસ્સો બન્યો જેણે મને ગાંધીજીની યાદ અપાવી. એક ભાઈ કાર લઇને જઈ રહ્યા હતા અને અચાનક એક એકટીવાવાળી છોકરીને ટક્કર મારી. છોકરી પડી અને હાથમાં વાગ્યુંને લોહી નીકળવા માંડ્યું. દસ મીનીટમાં તો ટોળું જામી ગયું અને પેલાં કારવાળા ભાઈ પર ચઢી બેઠું. પેલાં ગાડીવાલાની વાત સાંભળવા કોઈ તૈયાર જ ન હતું, મામલો આગળ વધ્યો અને લોકોએ જ પેલાં ગાડીવાળાને પાઠ ભણાવાનું હાથમાં લીધું. થોડો માર્યો એને અને ગાળો ભાંડી આખરે એને પણ લોહી લુહાણ કર્યો. ગાંધીજીને સમજનાર જો માણસ ત્યાં કોઈ હોત એકની જગ્યાએ બે માણસ લોહીલુહાણ ના થાત. આ તો આગ બુઝાવા આગ લગાડી જેવી વાત થઇ. અત્યારે લોકો કાયદાનું પાલન કરતા એનું ઉલ્લંઘન વધારે કરે છે અને એમાય કોઈ જયારે કાયદો થોડે ત્યારે તો ખાસ.
અંતિમ સ્પર્શ:
આઝાદી મેળવવા મળેલી ફરી આંધી નહિ મળે,
અફસોસ રહેશે કે ભારતને હવે ગાંધી નહિ મળે.
-નિશાંક મોદી
No comments:
Post a Comment